નર્મદા બંધમાં ૬૮૦ કરોડ લિટર કોન્ક્રિટનો ઉપયોગઃ જેનાથી પૃથ્વીને ફરતે ૧ મીટર પહોળો, ૧૭ સેમી જાડો રસ્તો બની શકે

Wednesday 09th June 2021 07:45 EDT
 
 

ભરૂચ: ગુજરાતની જીવાદોરી તથા ઈજનેરી કૌશલ્યનો અદ્ભૂત નમૂનો ગણાતા ૧૬૩ મીટરની ઊંચાઈ અને ૧.૨ કિમીની લંબાઈ ધરાવતા નર્મદા ડેમના નિર્માણ કાર્યમાં કુલ ૬.૮ મિલિયન ક્યુબીક મીટર કોંન્ક્રીટનો ઉપયોગ થયો છે. નર્મદા ડેમના આ રહસ્ય અંગે સરદાર સરોવર નર્મદા નિગમના MD ડો.રાજીવ ગુપ્તાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી આ માહિતી આપી છે.
૬.૮ MCM કોંન્ક્રીટથી વિષુવવૃત રેખા એટલે કે પૃથ્વી ફરતે ૪૦૦૭૫.૧૬ KM માં આટલા મટિરિયલ થકી ફૂટપાથ બનાવી શકાય છે. ડેમના નિર્માણમાં વપરાયેલા કોન્ક્રીટના અધધ જથ્થાથી પૃથ્વીની ફરતે ૧ મીટર પહોળો અને ૧૭ સેમી જાડો કુલ ૪૦૦૭૫ કિમી લાંબો કોંન્ક્રીટનો ફૂટપાથ બનાવી શકાય છે. સરદાર સરોવર બંધના ૩૦ ગેટનું કાર્ડિયલ કમ્પાઉન્ડ ગ્રીસ જેવા લિકવીડ દ્વારા સર્વિસિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં ૨૩ ગેટનું સર્વિસિંગ પૂર્ણ થયું છે. માત્ર ૭ ગેટ બાકી છે. જે પૂર્ણ થઈ જશે.

ચોમાસામાં સર્વોચ્ચ સપાટી સ્પર્શવા આયોજન

હાલ ડેમમાં જળસ્તર ૧૨૩ મીટર સુધી છે. રાજ્યમાં ઉનાળુ પાક માટે ૩૦ જૂન સુધી પાણી આપવા સાથે ડેમના અન્ય જળાશયો ભરી શક્ય એટલું મહત્તમ વીજ ઉત્પાદન કરાઈ રહ્યું છે. ચોમાસામાં ડેમમાં નવા નીર ભરી ફરી સર્વોચ્ચ સપાટી ૧૩૮.૬૮ મીટર સુધી સ્પર્શવાનું આયોજન કરાયું છે.


comments powered by Disqus