બિલીમોરા - વઘઈ વચ્ચે ૬૪ કિ.મી.ના રૂટ પર નવા રંગરૂપમાં દોડશે એસી કોચ સાથે બાપુ ગાડી

Wednesday 09th June 2021 07:39 EDT
 
 

બિલીમોરાઃ ૧૦૦ વર્ષ કરતાં વધુ સમયથી મહારાજા સયાજીરાવ ગાયકવાડ સરકારના સમયથી કાર્યરત બીલીમોરા-વઘઇ ૬૪ કિ.મી લાંબા રૂટ પર દોડતી નેરોગેજ ટ્રેનમાં એસી કોચ લગાવીને એડીઆરએમની હાજરીમાં ટ્રાયલ રન લેવામાં આવી હતી.
આ ટ્રાયલ સફળ રહેતા હવે ત્રણ એસી કોચ સાથે નરોગેજ ટ્રેન લોકાર્પણ કેન્દ્ર બનશે. હવે આ એસી કોચ હેરિટેજ ગણાતી આ નેરોગેજ ટ્રેનની આવકમાં ટ્રેન બંધ હોય ને ટ્રાયલ રન લેવાતા નેરોગેજ ટ્રેન ફરી શરૂ થાય તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ ટ્રેન ગાયકવાડી સમયથી ચાલતી હોય તેને બાપુની ગાડી તરીકે પણ લોકો ઓળખે છે. આ ટ્રેનને ઐતિહાસિક હેરિટેજ દરજ્જો અપાયો હતો જેથી આ ટ્રેન પુનઃ શરૂ કરવા સયાજીરાવ ગાયકવાડના પ્રપૌત્ર ભત્રીજા જિતેન્દ્રસિંહ ગાયકવાડ દ્વારા પ્રયાસો કરાયા હતા.


comments powered by Disqus