બીજી લહેરમાં પાલનપુરના પરિવારે ૬ સદસ્યો ગુમાવ્યા

Wednesday 09th June 2021 07:25 EDT
 

પાલનપુર: દેશ દુનિયામાં મહામારી ફેલાવનાર કોવિડ-૧૯ વાઇરસના કારણે અનેક પરિવારો તારાજ થયાં હતાં તે સંજોગોમાં ઉત્તર ગુજરાતના પાલનપુરના રાવલ પરિવારે બીજી લહેરમાં ૬ સભ્યો ગુમાવી દીધા હતા. મૂળ પાટણના વતની જીતેન્દ્ર રાવલે જણાવ્યું કે સૌથી પહેલી ડેથ ૧૨ એપ્રિલે સૂર્યાબેન રાવલની થઇ હતી. જ્યારે ૨૧ એપ્રિલે મારા પુત્ર કપિલની  મોત થયું, જે બાદ ૨૭ એપ્રિલે પાટણ ખાતે રહેતા મારા ભાભી ભારતીબેન અને મારા નાના ભાઇની વહુ નયનાબેનનું એક જ દિવસે અવસાન થઇ ગયું. ૧ મેના દિલીપીભાઇનું અવસાન થયું જ્યારે ૧૨મી મેએ ગાંધીનગર રહેતા મારા કૌટુંબિક ભત્રીજા હિરેનનું અવસાન થયું. આમ મારા કુંટુંબમાં ૬ સ્વજનો અમારે ગુમાવવા પડ્યાં છે.


comments powered by Disqus