રાજકોટ: ગુજરાતમાં મ્યૂકર માયકોસીસના સૌથી વધુ કેસ ધરાવતા રાજકોટ અને સૌરાષ્ટ્રમાં આજે રાજકોટ સિવિલમાં મ્યૂકરની સર્જરીનો આંક ૪૦૦ને પાર થઈ ગયો છે. રાજકોટ સિવીલમાં મ્યૂકરના વધુ ૧૫ કેસ નોંધાયા છે. અત્યારે સિવીલમાં ૪૯૪ અને સમરસ કેર સેન્ટરમાં ૧૯૩ દર્દીઓ સારવાર હેઠળ છે. સિવીલ સર્જન આર.એસ ત્રિવેદીના જણાવ્યા અનુસાર કોઈ જિલ્લા સ્તરની સિવીલ હોસ્પિટલમાં ૪૦૦થી વધુ સર્જરી થઈ હોય તેવુ પૂરા ભારતમાં માત્ર રાજકોટ સિવીલમાં બન્યું છે. તેમજ આજે જામનગરમાં મ્યૂકરના ૩ નવા કેસ નોંધાયા છે. જયારે ૮ મેજર સર્જરી કરવામા આવી છે. મ્યૂકરના કુલ ૧૪૨ કેસ નોંધાયા છે.