અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ‘કોરોના સેવાયજ્ઞ’ની પહેલ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. જે અંતર્ગંત વર્ગ-૪ના હેલ્થકેર સ્ટાફ માટે ત્રણ મહિના માટે રાશન સપ્લાય અને આવશ્યક ચીજોની ૫૦,૦૦૦ કિટ ગુજરાતના વિવિધ ભાગોમાં પહોંચી ચૂકી છે. આ પહેલના અંતિમ તબક્કામાં ૫૩ ટ્રકોમાં આશરે ૨૭,૦૦૦ કિટને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે ફ્લેગઓફ કરવામાં આવ્યું હતું.