કોરોનાની સારવાર દરમિયાન શિવાનંદ આશ્રમના સ્વામી અધ્યાત્માનંદજી બ્રહ્મલીન

Wednesday 12th May 2021 05:21 EDT
 
 

અમદાવાદ: શ્રી દિવ્ય જીવન સાંસ્કૃતિક સંઘ, શિવાનંદ આશ્રમ અમદાવાદ અને ગુજરાત દિવ્ય જીવન સંઘના પ્રમુખ સ્વામી અધ્યાત્માનંદજી ૮ એપ્રિલના બ્રહ્મલીન થયા હતા. તેઓ ચિદાનંદજીના શિષ્ય હતા. તેઓએ વર્ષ ૧૯૭૧માં બ્રહ્મચારી તરીકે દિક્ષા લીધી હતી. સ્વામીજીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ૮૧૪ જેટલા યોગાસન અને ધ્યાનના કેમ્પનું આયોજન કર્યું હતું.
સ્વામીજીના ગીતા નવનીતમ પુસ્તકને ૨૦૦૩માં ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા મહર્ષિ અરવિંદ ગોલ્ડ મેડલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વામીજી બ્રહ્મલીન થતા તેમના ભક્તોમાં શોકની લાગણી ફેલાઈ છે અને સમાજના દરેક વર્ગ તરફથી તેમને શ્રદ્ધાંજલિ અપાઈ છે. આશ્રમના ટ્રસ્ટી અરુણભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે સ્વામીજીને કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેઓ કોરોનાની સારવાર અર્થે ૧૩ એપ્રિલથી SGVP હોસ્પિટલમાં દાખલ થયાં હતાં. સારવાર દરમિયાન તેઓનું નિધન થયું છે. શિવાનંદ આશ્રમ અમદાવાદમાં
ગુરુ સ્વામીજી ચિદાનંદજીના આદેશથી વર્ષ ૧૯૯૫માં આગમન થયું હતું. સ્વામીજી બ્રહ્મલીનના સમાચાર સાંભળીને વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ૨૦૦૯માં સ્વામીજીએ બેઇજિંગ ચીનમાં સહકારી પરિષદનું આયોજન કર્યું હતું.


comments powered by Disqus