રાજકોટ: કોરોના કાળમાં એક આશ્વર્યજનક ઘટના સામે આવી હતી. રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થયું હતું. જે બાદ પરિવારજનો મૃતદેહને રામનાથપરા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર ખાતે લઇ ગયા. સ્મશાને મૃતકની અંતિમ વિધિ કરવાની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે જ ડેડબોડીમાં હલનચલન થતાં મૃતકના સ્વજનો આશ્વર્ય પામ્યા હતા. અને ડેડબોડીમાં મુવમેન્ટ થતાં પોતાના સ્વજન જીવિત હોવાનું ભાસ થયો હતો.
જોકે સ્મશાન પહોંચ્યા બાદ ડેડબોડી હલે છે તેમ કહી તેમનું સ્વજન જીવે છે સમજી પરત સિવિલ હોસ્પિટલ લઇ દોડી આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબે પરિવારજનોને જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિના મૃત્યુ બાદ તેના શરીરમા આ પ્રકારની મુવમેન્ટ જોવા મળતી હોય છે. જેને રિગોર મોર્ટિસ કહેવામાં આવે છે. રિગોર મોર્ટિસ એ પોસ્ટમોર્ટમ પરિવર્તન છે. જેના પરિણામે તેમના માયોફિબ્રીલ્સમાં રાસાયણિક ફેરફારોને કારણે શરીરના સ્નાયુઓ સખ્તાયમાં આવે છે. તબીબોની સમજણ બાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી મૃતકની ડેડબોડી તેમના પરિવારજનોને ફરી પરત કરી સ્મશાન ખાતે અંતિમવિધિ માટે લઇ જવામાં આવી હતી