નડિયાદઃ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયામાં એક ફેક મેસેજ વાયરલ થયો છે. જેમાં જણાવાયું છે કે બે દીકરીના માતા પિતાનું કોવિડમાં અવસાન થતાં આ બન્ને દિકરી અનાથ બનતા જે કોઇને બાળક દત્તક લેવા ઇચ્છે તેમણે નીચે જણાવેલ મહિલાના મોબાઇલ પર સંપર્ક કરવો તેવો ફેક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે સંદર્ભે ચાઈલ્ડ વેલ્ફેર કમિટિએ તથા અન્ય સરકારી સંસ્થાઓએ આ મેસેજને ફેક ઠેરવ્યો છે.