ભાવનગર: સૌરાષ્ટ્રના જાહેરજીવનમાં લાંબા સમય સુધી આગેવાન રહેલા અને ભાવનગરથી પ્રસિદ્ધ થતા સૌરાષ્ટ્ર સમાચારના સ્થાપક અને તંત્રી પદે રહેલા પ્રતાપભાઈ શાહનું છઠ્ઠી મેેના રોજ ૯૭ વર્ષની વયે નિધન થયું હતું. હાલમાં જ તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. પ્રતાપભાઇ શાહ ભાવનગરના સમાજજીવનના ઘડવૈયા હતા. તેમણે સતત ૫૬ વર્ષ સુધી સૌરાષ્ટ્ર સમાચારનું સુકાન સંભાળ્યું હતું. એટલું જ નહી ભાવનગર યુનિવર્સિટીની સ્થાપના સહિત વિવિધ સૌરાષ્ટ્રના શૈક્ષણિક-સામાજિક તથા આર્થિક વિકાસને લગતી વિવિધ પ્રવૃત્તિઓમાં તેમણે આગળ પડતી ભૂમિકા ભજવી હતી. તેમના નિધનને પગલે ભાવનગર શોકાતુર બન્યું હતું.