જૂનાગઢઃ ગીર સોમનાથમાં સિંહે એક યુવાનનો શિકાર કરી લેતા પંથકમાં ચકચાર મચી છે. જેમાં તાલાળા તાલુકાના માધુપુર ગીર ગામે ૩૫ વર્ષનો યુવાન પોતાની બકરીઓ લઇ રાત્રીના નીકળ્યો હતો. ત્યારે પોતાની બકરીઓને બચાવતા સિંહનો શિકાર બન્યો હતો.
ગીરના જંગલ વિસ્તારમાં જંગલી પ્રાણીઓ પશુઓનો શિકાર કરે છે. અને જંગલી પ્રાણીઓ પશુઓનો શિકાર કરતા હોય તેવા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થાય છે. તેમજ ગામમાં પાળેલા પશુઓનો જંગલી જાનવર શિકાર કરી લઇ જાય છે. તેવા સમાચાર પણ આવતા રહે છે. પણ તાલાળા તાલુકાના માધુપુર ગીર ગામે સિંહે યુવાનનો શિકાર કર્યો છે. તેવી ઘટના બનતા લોકોમાં ફફટાડ વ્યાપી ગયો છે. જેમાં બકરીઓને બચાવવા જતા મોત મળ્યું છે. તાલાળા તાલુકાના માધુપુર ગીર ગામે યુવાન બકરીઓને લઇ જતો હતો. ત્યારે માધુપુર ધાવા ગીરગામના રસ્તે સિંહે બકરીઓ પર હુમલો કર્યો હતો. જેમાં બકરીઓને બચાવવા જતા સિંહે યુવાનનો શિકાર કર્યો હતો. જેમાં ઘટના સ્થળે જ યુવાનનું મોત થયું હતુ. જેમાં વનવિભાગ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક સિંહને પાંજરે પુર્યો હતો.