ભાવનગરઃ સુરતના હજીરા બંદરથી રો-રો ફેરી જ્યારે ઘોઘા આવી રહી હતી ત્યારે આઠમી મેના રોજ પીરમબેટ અને ઘોઘાના દરિયામાં આવતી ચેનલમાં જ્યારે રો-રો ફેરી પહોંચી ત્યારે ફેરીમાં બેસેલ બટુકભાઈ વીઠ્ઠલભાઈ સુતરિયા (૬૯) નામના વૃદ્ધે સવારના ૧૧.૩૦ કલાકે દરિયામાં ઝંપલાવ્યું હતું જેની મોડી સાંજ સુધી શોધખોળ હાથ ધરાઈ હતી. વૃદ્ધ ગૂમ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
મૂળ ભાવનગરના અને સુરત ગયેલા બટુકભાઈ તેના પત્ની અને દીકરા-દીકરી સાથે સુરતથી ભાવનગર આવી રહ્યા હતા. રો-રો ફેરી સર્વિસમાં ભાવનગર આવી રહેલા બટુકભાઈએ ઘોઘા અને પીરમબેટ વચ્ચે દરિયામાં ઝંપલાવ્યું હતું. બનાવને લઈ ભાવનગર મરીન પીએસઆઈ એન. એમ. મંડેરા સહિતનો સ્ટાફ ઘોઘા ટર્મિનલ ખાતે પહોંચી ગયો હતો તેમજ દરિયામાં બોટ દ્વારા વૃદ્ધની શોધખોળ હાથ ધરાઈ છે. કિનારા પર હોમગાર્ડ જવાનો ઉપરાંત ૬ પોલીસ સાતેની ૧ બોટ શોધખોળ કરી રહી છે. તેમજ ટગના માલિકો, માછીમારો કરતા ખારવા લોકોએ પણ જાણ કરીને કોઈ ભાળ મળે તો જાણ
કરવા તાકીદ કરી હોવાનું જણાવ્યું હતું.