આદિપુરની હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું માંડવિયાના હસ્તે ઉદ્ઘાટન

Wednesday 14th July 2021 07:24 EDT
 
 

ગાંધીધામ: આદિપુર સ્થિત રામબાગ હોસ્પિટલમાં દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ કંડલા દ્વારા સામાજિક ઉત્તરદાયીત્વના ભાગરૂપે રૂપિયા ૫૦ લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો, જેમાં કોરોના મહાારી વચ્ચે ૧૫ વેન્ટિલેટર કામ કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેનું કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ કંડલા કારગો હેન્ડલિંગમાં પોતાની ક્ષમતાનો પરચો બતાવી રહ્યું છે. ત્યારે કોરના મહામારીમાં સામાજિત ઉત્તરદાયીત્વ નિભાવવા પણ ડીપીટી પ્રશાસન તત્પર બની ગયું છે. જેને અનુલક્ષીને આદિપુર સ્થિત રામબાગ હોસ્પિટલમાં રૂપિયા ૫૦ લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઓક્સિજન પ્લાન્ટમાં ૧૫ જેટલા વેન્ટિલેટર કામ કરી શકે તેવી રૂ. ૧૩.૨૦ લાખના ખર્ચે કોપર પાઇપિંગ કરવામાં આવ્યું છે. તો વળી, રામબાગનો આ પ્લાન્ટ પ્રતિ કલાકના ૨૦ હજાર લિટર ઓક્સિજનનું ઉત્પાદન કરશે.


comments powered by Disqus