મહેસાણા: કોરોનાની ત્રીજી લહેરને લઈ ઊંઘમાં સપનાં આવે છે ત્યારે ઉઠી જાઉં છું તેવું નિવેદન નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે મહેસાણામાં દૂધસાગર ડેરી નિર્મિત ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે કહ્યું હતું. તેમણે ત્રીજી લહેર આવવાની આશંકાએ નાગરિકોને કોરોનાના નિયમો પાળવા તાકીદ કરી હતી. પરંતુ, કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની કોરોના ગાઈડ લાઈનનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું.
દૂધસાગર ડેરી દ્વારા સાંઈક્રિષ્ના કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ નિર્માણ કરાયો છે. જેનું પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું.