ભાવનગરઃ હિન્દી ચલચિત્રના બેતાજ બાદશાહ દિલીપકુમારનું નિધન થતાં દેશ-વિદેશમાં વસતાં સેંકડો ચાહકોએ આંચકો અનુભવ્યો છે આંતરરાષ્ટ્રીય કથાકાર મોરારીબાપુ એપણ ઊંડુ દુઃખ વ્યક્ત કર્યું છે અને અને શ્રધ્ધાંજલી પાઠવી હતી.
મોરારીબાપુએ જણાવ્યું હતું કે દિલીકુમાર સાહેબ શતાયુ થતાં થતાં આપણી વચ્ચેથી વિદાય થયા એ સમાચાર સાંભળવા મળ્યા, વ્યકિતગત મુલાકાતોમાં પરોક્ષ કે અપરોક્ષ રીતે એમની ઇન્સાનિયત અને એમનાં સદ્દભાથી હું પરીચિત રહ્યો છું. હું એમને ઘણી વખત એમના નિવાસ સ્થાને મળવાનું થયું હતું.