મોઢેરા ગામ હવે દેશનું સૌપ્રથમ ૨૪ કલાક સૌરઊર્જા વાપરતું ગામ બનશે

Wednesday 14th July 2021 07:21 EDT
 
 

મહેસાણાઃ મહેસાણા જિલ્લાનું ઔતિહાસિક સૂર્યમંદિરથી જાણીતું મોઢેરા ગામ હવે દેશનું સૌપ્રથણ ૨૪*૭ કલાક સૌર ઊર્જા વાપરતું ગામ બનશે. ગ્રામીણ રહેણાંક વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક સૌર ઊર્જા પુરી પાડતો આ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૌકીનો એક ગણાય છે. વીજ કંપની દ્વારા સૌર ઊર્જાનો સફળ ટ્રાયલ પણ લેવાયો હતો.
મોઢેરાથી ૬ કિલોમીટર દૂર સુજાણપુરા ગામે ૧૨ એકર જમીનમાં ત્રણ-ત્રણ મેગાવોટના બે સૌર ઊર્જા પ્લાન્ટ ઊભા કરાયાં છે. રૂ.૬૯ કરોડના ખર્ચે તૈયાર થયેલા પ્રોજેક્ટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ૫૦-૫૦ ટકા હિસ્સેદારી છે. અને પ્રોજેક્ટમાં કામ ખાનગી એન્જસીને સોંપાયું છે. અહીં ઉત્પાદિત સૌરઊર્જા મોઢેરા, ગામના કુલ ૧૬૧૦ ઘરો તેમજ સૂર્યમંદિરને દિવસ રાત પૂરી પડાશે. જ્યારે કુલ ઘરો પૈકી ૨૭૧ ઘર ઉપર એક-એક કિલો વોટથી સોલાર સિસ્ટમ લગાવાઇ છે.
અહીં ઉત્પન્ન થતી સૌરઊર્જા પહેલાં રહેણાંક એકમો દ્વારા ઉપયોગમાં લેવાશે. ત્યારબાદમાં વધારોનો પાવરગ્રીડમાં જશે, જેના માટે ૨૭૧ ઘરમાં સ્માર્ટ એપ્રિલ મીટર પણ લગાવાયાં છે. એ જ પ્રમાણે સરકારી બિલ્ડિંગોની પણ ૬ વોટની સોલાર સિસ્ટમ લગાવાની છે. સૂર્યમંદિરને પણ સૌર ઊર્જા પૂરી પડાશે. જ્યાં ચાર્જિંગ સ્ટેશન ઊભું કરાશે. આ મોઢેરાને વીજળીની જરૂરિયાત ૧૦ હજાર યુનિટી છે. પરંતુ ૧.૫૦ લાખ યુનિટ વીજ ઉત્પાદન આ પ્રોજેક્ટમાં થશે.
સુજાણપુરા સામે સોલાર પ્રોજેક્ટમાં ઉત્પન્ન થતી વીજળી બેટરી એનર્જી સ્ટોરેજે સિસ્ટમમાં સંગ્રહ કરવામાં આવશે. દક્ષિણ કોરિયન આ ટેક્નોલોજીનો દેશમાં સૌપ્રથમ ઉપયોગ અહીં કરાયો છે. અહીંથી સોલર પાવર ૭ કિલોમીટર અંડરગ્રાઉન્ડ સ્પેશિયલ વીજ લાઇન દ્વારા મોઢેરા સબ સ્ટેશન લઇ જવાય છે અને ત્યાંથી સૌરપેનલ મારફતે ગામમાં સપ્લાય કરાશે.


comments powered by Disqus