વિકએન્ડમાં ૪૦ હજારની વધુ લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવ્યા

Wednesday 14th July 2021 07:01 EDT
 

કેવડિયાઃ કોરોના બીજી લહેરમાં બાદ સરકાર દ્વારા છૂટછાટ અપાતા પ્રવાસીઓની પ્રવાસન સ્થળો પર ભીડ વધી રહી છે. કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ૧૦-૧૧ જૂલાઈ શનિ-રવિની રજાઓમાં ૨૫ હજાર પ્રવાસીઓ આવ્યા હતા. આ શનિ-રવિની રજાઓ પ્રવાસીઓની સંખ્યા વધી છે. શનિવારે ૧૫ હજારથી વધુ અને રવિવારે ૨૫ હજારથી વધુ આમ બે દિવસમાં ૪૦ હજારથી વધુ પ્રવાસીઓ નોંધાયા છે. પ્રવાસીઓની સંખ્યાના વધતા તંત્રએ કોવિડ ગાઇડલાઇન પાલન માટે સ્ટાફ વધારી દીધો છે.


comments powered by Disqus