અમેરિકાના ગુજરાતી સમાજ ઓફ મિસીસીપી દ્વારા વધુ ૩૦૦ કન્સ્ટ્રેશન મશીનો સુરત મોકલાયા

Wednesday 16th June 2021 06:58 EDT
 

વડોદરા: સાત સમુદ્ર પાર અમેરિકાને કર્મભૂમિ બનાવનારા મૂળ ગુજરાતીઓએ કોરોનાની મહામારીમાં દાનની સરવાણી વહેડાવીને એક પછી એક સામગ્રીઓ મોકલવામાં આવી રહી છે. અગાઉ ૨૦૦ ઓક્સીજન કન્સ્ટ્રેશન મોકલ્યા બાદ હવે વધુ ૩૦૦ ઓક્સીજન કન્સ્ટ્રેશનનો જથ્થો સુરત આવી પહોંચ્યો છે
જન્મભૂમિ ગુજરાતના ઋણને ઉતારવા માટે કોરોના મહામારીમાં અમેરિકા ખાતે વસતાં એનઆરઆઈ પરિવારો કટિબદ્ધ બન્યા હતાં. આ પરિવારોએ ગુજરાતી સમાજ ઓફ મિસીસીપીના નેજા હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે ઓક્સીજન કન્સ્ટ્રેશન મશીનો ખરીદીને સુરત મોકલવાનો નિર્ણય કર્યો હતો. પહેલા તબક્કામાં એક લાખ ડોલરના ખર્ચે ૨૦૦ ઓક્સીજન મશીનો સુરત ખાતે પહોંચ્યા બાદ હવે વધુ ૩૦૦ ઓક્સીજન કન્સ્ટ્રેશન મશીનો સુરત આવી પહોંચ્યા છે.
એનઆરઆઈ સંસ્થા દ્વારા ૧.૫ મિલિયન ડોલરની સહાયનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેના માટે અમેરિક ખાતે વસતાં ૧૦ હજારથી વધુ એનઆરઆઈ પરિવાર દીઠ ૧૫૧ ડોલરની સહાય થકી આ લક્ષ્યાંકને વહેલી તકે પાર પાડવામાં આવશે.


comments powered by Disqus