કોરોનાના સેકન્ડ વેવ પછી ૭૦ ટકા અમદાવાદીઓમાં એન્ટિબોડી વિક્સી

Wednesday 16th June 2021 07:48 EDT
 

અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાની મહામારીના સેન્કડ વેવ પછી લગભગ ૭૦ ટકાથી વધુ શહેરીજનોમાં કોવિડ ૧૯ના સામે એન્ટિબોડીઝ ડેવલપ થઈ છે. પાંચમા સીરો પ્રીવેલન્સ સર્વે એમએમસી દ્વારા મે મહિનાના છેલ્લાં સપ્તાહ અને જૂનના પ્રારંભમાં હાથ ધરાયો હતો.
ફેબ્રુઆરી ૨૦૨૧માં હાથ ધરાયેલા ચોથ સીરો સર્વેમાં શહેરીજનોમાં ફક્ત ૨૮ ટકા લોકોમાં કોવિડ ૧૯ સાથે એન્ટિબોડીઝ ડેવલપ થઈ હતી. ગત વર્ષ જૂન ૨૦૨૦માં હાથ ધરવામાં આવેલા પ્રથમ સીરો સર્વેમાં ફક્ત ૧૮ ટકા શહેરીજનોમાં કોવિડ ૧૯ સામે એન્ટિબોડીઝ ડેવલપ થઈ હતી. કોરોનાના સેકન્ડ વેવ દરમિયાન એપ્રિલ, ૨૦૨૧માં કોરોનાના સૌથી વધુ ૫,૭૦૦ કેસ નોંધાવા સાથે આ જીવલેણ રોગચાળો પિક પર હતો. ગત વર્ષે નવેમ્બરમાં દિવાળી પછી નોંધાયેલા કોરોનાના કેસોની સરખામણીએ તા. ૨૫ એપ્રિલ, ૨૦૨૧ રોજ કોરોનાના કેસ ૧૬ ગણા વધુ નોંધા હતા. એએમસી દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા સીરો સર્વેમાં અમદાવાદની ૭૦ ટકાથી વધુ વસ્તીમાં કોરોના વાયરસ સામે એન્ટિબોડીઝ ડેવલપ થઈ છે.


comments powered by Disqus