અમદાવાદ: ગાંધીધામ ખાતે યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા સાથે રૂ. ૧૩૪ કરોડની લોનની છેતરપિંડી કરવામાં આવી છે. જેના પગલે સીબીઆઈ દ્વારા હવે ખાનગી કંપનીના સંચાલકો સામે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. બેન્ક દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે કંપનીના સંચાલકો અને ગેરેન્ટરને બેન્ક દ્વારા આપવામાં આવેલી લોનના ફ્ંડનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો.
એટલે કે જે હેતુ માટે લોન લેવાઈ હતી તેના બદલે લોનની રકમ અન્ય હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવી હતી. બેન્કની લોનની જે શરતો હતી તેનો ભંગ કરીને જુદી જુદી બેન્કો દ્વારા લોનની રકમ અન્ય હેતુ માટે ટ્રાન્સફર કરી દેવાઈ હતી. આ રીતે યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા સાથે રૂ.૧૩૪.૪૩ કરોડની છેતરપિંડી કરાઈ છે. મુંબઈમાં આરોપીઓના છ સ્થાનો પર સીબીઆઈએ દરોડા પાડી મોટી માત્રામાં વાંધાજનક દસ્તાવેજો કબ્જે કર્યા છે.