ગુજરાતમાં કોરોનાથી મોતનો આંક ૧૦,૦૦૦ને પાર

Wednesday 16th June 2021 06:20 EDT
 

અમદાવાદ: ગુજરાતમાં ૮૧ દિવસ બાદ એક્ટિવ કેસની સંખ્યા ૧૦ હજારને નિચે આવી છે. છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં કુલ ૯,૫૪૨ દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે ૨૨૩ દર્દીઓ વેન્ટિલેટર પર છે.  રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૮,૧૮,૧૪૪ કેસ નોંધાયા છે અને કોરોના વાઈરસ અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૧૦,૦૦૩ નાગરિકોને ભરખી ગયો છે.  સંક્રમિત થયેલા કુલ ૮,૦૧,૧૮૧ નાગરિકોએ કોરોનાને હરાવ્યો છે.  અમદાવાદમાં ૧૨૨ દિવસ બાદ કોરોનાના દૈનિક કેસ ૫૦થી ઓછા નવા ૪૭ કેસ નોંધાયા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા ૨,૨૧,૯૯૧એ પહોચી છે અને મોતનો આંકડો ૩,૨૩૩એ પહોચ્યો છે.  


comments powered by Disqus