નરેશ પટેલના નિવેદનથી ભાજપ છંછેડાયું, કહ્યું દબાણ ઊભું કરે છે

Wednesday 16th June 2021 07:49 EDT
 
 

 અમદાવાદઃ ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે ગુજરાતના મુખ્યપ્રધાન પાટીદાર સમાજના હોવા જોઇએ તેમ કહેતાં ભાજપ છંછેડાયું છે. ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું કે, નરેશ પટેલનું આવું નિવેદન રાજકીય પક્ષો પર ખોટું દબાણ સર્જે છે. ભાજપ હોય કે કોંગ્રેસ દરેક પક્ષ પર આ રીતે આડકતરી રીતે તેઓ પ્રેશર લાવી ન શકે. યજ્ઞેશ દવેએ કહ્યું કે હું પણ ગુજરાતના બ્રાહ્મણ સમાજનો મહામંત્રી છું પરંતુ સમાજના નેતાએ તે જોવું જોઇએ કે મુખ્યપ્રધાન આપણાં સમાજનો હોય તેવી જિદ કરવાને બદલે તે તેમના સમાજનો અને દરેક સમાજનો હિતેચ્છુ હોવો જોઇએ. કોઇપણ સમાજે રાજનીતિમાં હસ્તક્ષેપ કરવો જોઇએ નહીં. 


comments powered by Disqus