રાજકોટઃ રાજકોટ જિલ્લાના આણંદપરમાં અમૂલ ડેરીનો જાયન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે તેવી જાહેરાત કલેક્ટરે કરતાં સૌરાષ્ટ્ર માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. કલેક્ટરે જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા અમૂલ માટે ૧૩૫ એકર જમીનની ફાળવણી કરવામાં આવી છે. આગામી સમયમાં મંજૂરી મળ્યા બાદ પ્લાન ફાઈનલ કરવામાં આવશે.