સુરત: દેશની જેમ એન્ડ જ્વેલરીની નિકાસ ફરી તેના કોરોના મહામારીના સમય પહેલાંના સ્તરે પહોંચી છે. જૂન ૨૦૨૧માં રૂ. ૨૦૮૫૧ કરોડ નિકાસ થઇ છે. નિકાસમાં ૪ ટકા વૃદ્ધિ નોંધાઇ છે. કોરોના મહામારી પહેલા જૂન ૨૦૧૯ માં નિકાસ રૂ. ૧૯૮૯૧ કરોડની હતી. જ્યારે એપ્રિલથી જૂન દરમિયાન કોરોના મહામારી પહેલાં ૨૦૧૯માં કુલ નિકાસ રૂ. ૬૨૦૧૮ કરોડ હતી, તેની સરખામણીમાં આ જ સમયગાળા દરમિયાન ૨૦૨૧માં નિકાસ રૂ. ૬૭૨૬૫ કરોડ થઇ છે. નિકાસમાં ૮.૪૨ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.