વેરાવળ: કોવિડ-૧૯ મહામારીને કારણે વખતોવખત સરકારની ગાઇડલાઇન મુજબ સોમનાથ મંદિરમાં દર્શનની વ્યવસ્થા અને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાલની ગાઇડલાઇનને ધ્યાને રાખી ૧૭મી જુલાઇથી સોમનાથ મંદિર દર્શનાર્થે ખુલ્લું મૂકાયું છે. મંદિર સવારે ૬થી રાત્રે ૧૦ વાગ્યા સુધી સતત ખુલ્લું રહેશે.
આ સમય દરમિયાન ત્રણેય પ્રહરની આરતી વેળા પણ શ્રદ્વાળુઓને પ્રવેશ અપાશે. જોકે, આરતી સમયે દર્શન ઉભા રહીને નહીં કરી શકાય. લાઇનમાં ચાલતા ચાલતા સોમનાથ દાદાના દર્શન કરવાના રહેશે. યાત્રિકોએ માસ્ક ફરજિયાત પહેરવાનો રહેશે. દર્શન માટેના પાસ ઓનલાઇન અથવા ઓફલાઇન મેળવીને જ દર્શન માટે જવાનું રહેશે. સાથે જ કોવિડ-૧૯ની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી જરૂરી કાળજી લેવાની રહેશે.