ભવનાથના સંતને યોગાસન બદલ રેકોર્ડ બુકમાં સ્થાન

Thursday 22nd July 2021 04:09 EDT
 

જૂનાગઢ: ભવનાથમાં રહેતા સંત વિશ્વ યોગ દિવસ એક કલાક શિર્ષાસન તથા પોણા ત્રણ કલાક સુધી પહ્માસન કર્યું હતું. આ બાબતની વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયાની ટીમે નોંધ લીધી હતી. અને સંતને વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયામાં સ્થાન આપી પ્રમાણપત્ર એનાયત કર્યું હતું. જૂનાગઢના ભવનાથ તળેટીમાં રહેતા બિરલાદાસ ગુરુ બનારસીદાસ નામના સંતે ગત તા. ૨૧ જૂનના વિશ્વ યોગ દિવસ નિમિત્તે એક કલાક સુધી શિર્ષાસન તેમજ પોણા ત્રણ કલાક સુધી પહ્માસન કરવાનો રેકોર્ડ કર્યો હતો. આ બાબત અંગે સંતે વર્લ્ડ રેકોર્ડસ મોકલ્યા હતા. જેને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાની ટીમે માન્ય ગણી સાધુ બિરલાદાસને વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયામાં સ્થાન આપ્યું હતું.


comments powered by Disqus