માતાએ ચાર દીકરીઓ સાથે થરાદ કેનાલમાં ઝપલાવ્યું, માતા - બે પુત્રીનાં મોત

Thursday 22nd July 2021 04:15 EDT
 

થરાદ: નગરની મુખ્ય કેનાલમાં એક માતાએ ચાર દીકરી સાથે અગમ્ય કારણોસર ઝંપલાવતાં અરેરાી પ્રસરી ગઇ હતી. આ ઘટનામાં માતા અને બે દીકરીનું મોત નીપજ્યું હતું જ્યારે બે દીકરીનો આબાદ બચાવ થતાં સારવાર માટે ખસેડાઈ છે. જોકે પરિણીતાએ આવું પગલું કેમ ભર્યું તેનું રહસ્ય અકબંધ છે.
થરાદ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ૧૭ જુલાઇના રોજ સવારના સમયે ચાર દીકરીઓ સાથે માતાએ અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવતાં નજીકથી પસાર થતા રાહદારીઓ તેમજ જીવદયાપ્રેમીઓએ ઘટનાસ્થળે દોડી જઇને તમામને બચાવવા પ્રયાસ કર્યો હતો. જેમાં બે દીકરીઓનો આબાદ બચાવ થયો હતો. બનાવની જાણ પરિણીતાના પિયરજનો તેમજ સાસરિયાઓને થતાં તેઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.


comments powered by Disqus