જામનગરના યુવાન પાસે ગણેશજીની ૫ હજાર મૂર્તિનું કલેકશન

Tuesday 21st September 2021 14:05 EDT
 
 

જામનગરઃ જામનગરના દિલીપ ધ્રુવે વિઘ્નહર્તાની અલગ અલગ સ્વરૂપની ૧૫૦૦ મૂર્તિઓ સહિત કુલ ૫૦૦૦ વિવિધ ગણેશ પ્રતિમાઓનું અનોખું કલેક્શન કર્યું છે. કલેક્શનની ખાસિયત એ છે કે, ગણપતિની તમામ મૂર્તિઓ અને પ્રતિમામાંથી એક પણ સ્વરૂપ એક સરખું નથી એટલે રિપિટ થતું નથી. દરેક મૂર્તિઓ અલગ-અલગ સ્વરૂપમાંથી જોવા મળે છે. અદભૂત કલેક્શન અંગે દિલીપભાઇએ જણાવ્યું હતું કે, તેઓ ભગવાન ગણેશ પ્રત્યે બાળપણથી જ અતૂટ શ્રદ્વા ધરાવે છે. એટલું જ નહીં તેમની પાસે ભગવાન ગણેશના જીવન અધારિત હિન્દી, ગુજરાતી, મરાઠી અને અંગ્રેજી ભાષાની ૨૫૦૦ પુસ્તક છે. તેઓના ઘરની દરેક વસ્તુઓમાં ભગવાન ગણપતિની ક્યાંકને ક્યાંક ઝલક જોવા મળે છે.


comments powered by Disqus