અમદાવાદ: ગુજરાતમાં અંબાજી, દ્વારકા, પાલિતાણા સહિત કુલ ૬ સ્થળે નવી એરસ્ટ્રીપ બનાવાશે. ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ. દ્વારા અંકલેશ્વર, રાજપીપળા, મોરબી, અંબાજી, દ્વારકા અને પાલિતાણામાં નવી એરસ્ટ્રિપ વિકસાવવામાં આવશે. પ્રવાસનને વધુ વેગ મળે તેવા ઉદ્દેશના ભાગરૂપે આ સ્થળની એરસ્ટ્રિપ માટે પસંદગી કરવામાં આવી છે. અંબાજી, દ્વારકા, ધાર્મિક રીતે મહાત્મ્ય ધરાવે છે.‘ઉડાન’ યોજના હેઠળ આ ૬ શહેરને વિવિધ ફ્લાઇટ સાથે સાંકળવામાં આવશે. આ ૬ શહેરમાં ૬ એરસ્ટ્રિપ બનાવવાનું આયોજન છેલ્લા પાંચ વર્ષથી કાગળ પર છે. પરંતુ હવે તેને અંતિમ ઓપ આપવાનું શરૂ થઇ ચૂક્યું હોવાનો દાવો કરાયો છે.