અમદાવાદઃ ગૃહપ્રધાન અમિત શાહે ૨૧ જૂને સોમવારે અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઈવે પર બનનારા આઠમાંથી બે ફ્લાય ઓવરને ખુલ્લા મૂકતા કુલ પાંચ ફ્લાય ઓવર ધમધમતા થયા છે. સરગાસણ, ઈન્ફોસિટી અને અન્ય એક બ્રીજનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આઠમાંથી પાંચ બ્રીજ શરૂ થઈ જતાં હવે ટ્રાફિકની સમસ્યા હળવી થશે. છત્રાલ-પાનસર રેલવે ઓવરબ્રીજને પણ અમિત શાહે ખુલ્લો મૂક્યો હતો. સિંધુ ભવન ચાર રસ્તા અને સાણંદ ચાર રસ્તાના બ્રીજ અગાઉ ખુલ્લા મુકાઈ ગયા છે ત્યારે નવા બે બ્રીજ સરખેજ ગાંધીનગરના ટ્રાફિક માટે આશીર્વાદરૂપ સાબીત થશે.