એર ઇન્ડિયાની ભુજ સહિતની સંપત્તિઓ વેચાણમાં મુકાઇ

Wednesday 23rd June 2021 07:36 EDT
 
 

નવીદિલ્હી: એર ઇન્ડિયાના વિનિવેશનની પ્રક્રિયા જલ્દી પૂરી થવા પર છે. કેન્દ્ર સરકાર એર ઇન્ડિયાની ભુજ સહિત દેશભરમાં આવેલી તેની વાણિજ્યિક/આવાસીય સંપત્તિ વેચીને ૨૦૦થી ૩૦૦ કરોડ રૂપિયા ઊભા કરવા વિચારી રહી છે. એક જાહેર સૂચના અનુસાર એર ઇન્ડિયાએ એમએસટીસી મારફતે દેશભરમાં આવેલી પોતાની સંપત્તિ વેચવા ઇ-લિલામીથી બોલીઓ આમંત્રિત કરી છે.


comments powered by Disqus