કચ્છમાં રજિસ્ટ્રેશન બાદ પણ લોકો રસીથી વંચિત

Wednesday 23rd June 2021 07:39 EDT
 

ભુજઃ કચ્છમાં રજિસ્ટ્રેશન થયા બાદ પણ લોકોને મહિના સુધી કોરોના રસી મળતી નથી તેવામાં ગીતા રબારીને ઘરે રસીકરણ મુદ્દે ભીનું સંકેલાતા આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. રસીકરણ નાના-મોટા તમામ માટે જરૂરી છે. આમ છતાં યુવાનોનો મહિના દિવસના રજિસ્ટ્રેશન પછી પણ વારો આવતો નથી. લોકો પોતાના ધંધા, રોજગાર મૂકીને રસીકરણ માટે લાઈનમાં ઉભે છે અને વારો આવતો નથી.


comments powered by Disqus