અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેર ધીમી પડી ગઇ છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે ૯૮.૦૯ ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં ૨૨ જૂનના રોજ સતત બીજા દિવસે કોરોનાના ૨૦૦થી પણ ઓછા કેસ નોંધાયા છે જે એક રાહતભર્યા સમાચાર છે. ૨૨ જૂનના કોરોનાનાં નવા ૧૫૧ કેસ નોંધાયા છે અને બે દર્દીના મોત થયાં છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે ૨૨ જૂનના વધુ ૨ દર્દીના મોત નીપજ્યા છે. વિતેલા ૨૪ કલાકમાં ગુજરાતમાં ૬૧૯ દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ત્યાં જ ૨૨ જૂનના રાજ્યના ૧૫ જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી.
અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૧૦,૦૩૪ નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ ૬૧૯ દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી ૮,૦૬,૮૧૨ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ ૫૬૩૯ દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે ૧૧૩ દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.