ગાંધીનગર: ગુજરાત કેડરના સનદી અધિકારી ગુરૂપ્રસાદ મહાપાત્રાનું પોસ્ટ કોવિડના કારણે અવસાન થયું છે. તેઓ ૧૯૮૬ બેચના આઈએએસ ઓફીસર હતા અને ડેપ્યુટેશન પર ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ઈન્ટરનેશનલ ટ્રેડના સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં ૧૯ જૂને સવારે તેમનું અવસાન થયું હતું. તેઓએ ૧૨-૭-૨૦૧૧થી ૯-૧૦-૨૦૧૪ દરમિયાન અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના કમિશનરપદે રહીને શહેરની અનેક સમસ્યાઓને હલ કરી હતી.
કોરોનાનો શિકાર બન્યા પછી લાંબા સમય સુધી વેન્ટિલેટર અને કોમામાં રહ્યા પછી ૧૯મીએ સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.