પોરબંદર: ગુજરાતની ભાજપ સરકારે વેરાવળથી વાપી સુધીના આક્ષેપ કેમિકલયુક્ત પ્રદુષિત ઝેરી જળને રૂ. ૫૫૦૦ કરોડના ખર્ચે પાઇપલાઇન મારફત દરિયામાં પધરાવવાની યોજના હાથ ધરી હોવાનો આક્ષેપ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કર્યો છે. તેમણે આ યોજનાને દરિયાઇ જીવસૃષ્ટિને નષ્ટ કરનારી, માછીમારોને હાની પહોંચાડનારી ગણાવી છે. તેના બદલે ઔદ્યોગિક કેમિકલયુક્ત ઝેરી જળને શુદ્ધ કરી તેનો પુનઃ ઉપયોગ કરવાની યોજના બનાવવા માગ કરી હતી.