નવલખી બંદરે રૂ. ૧૯૨ કરોડના ખર્ચે ૪૮૫ મી. લાંબી નવી જેટી બનશે

Wednesday 23rd June 2021 06:41 EDT
 

ગાંધીનગર: રાજ્યમાં કોર્ગો પરિવહન માટે મહત્વના નવલખી બંદર ખાતે ૧૯૨ કરોડના ખર્ચે ૪૮૫ મીટર લંબાઇની નવી જેટી બનાવવાના કામને નવી જેટી બનાવવાના કામને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સૌદ્વાંતિક મંજૂરી આપી છે. હાલમાં આ બંદરની કાર્ગો પરિવહન ક્ષમતા વાર્ષિક ૮ મિલિયન મેટ્રિક ટનની છે. નવી જેટી બનતા આ ક્ષમતામાં ૧૬થી ૨૦ મિલિયન મેટ્રીક ટન જેટલી થશે. નવી જેટી માટે કેન્દ્ર તરફથી પર્યાવરણ અને સીઆરઝેડ કલીયરન્સ પણ મળી ગયું છે. નવલખી બદર ખાતેથી મીઠું. કોલસો, સિરામીક અને મશીનરી ઉદ્યોગના માલ-સામાનનું પરિવહન થાય છે.


comments powered by Disqus