રાજ્યમાં દર વર્ષે ૬ હજારો લોકોને દારૂની પરમિટ અપાય છે

Wednesday 23rd June 2021 06:38 EDT
 

અમદાવાદઃ દારૂબંધીના કાયદાને પડકારતી અરજી સામે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં વિરોધ નોંધાવ્યો છે. સરકારે દલીલ કરી હતી કે, દારૂબંધીના કાયદાને સુપ્રિમકોર્ટ બહાલી આપ્યાને ૭૧ વર્ષ થયાં છે. સુપ્રિમના ચુકાદાના આધારે પણ અરજી રદ કરવી જોઇએ. સરકારે કહ્યું, અત્યાર સુધીમાં માત્ર ૨૧ હજાર પરમિટ આરોગ્યના ધોરણે આપી છે. જ્યારે રાજ્યની વસતી ૬.૭૫ કરોડ છે. આમ પરમિટનું પ્રમાણ સાવ જૂજ ગણાય. દર વર્ષે ૬૬ હજારને પરમિટ અપાય છે. અત્યાર સુધીમાં ૨.૬૬ લાખ ટુરિસ્ટને પરમિટ આપી છે.


comments powered by Disqus