પાલનપુર: પંજાબના અમૃતસર ખાતે વાઘા-અટારી બોર્ડર પર યોજાતા રિટ્રિટની જેમ હવે ગુજરાતમાં પણ સરહદ દર્શનનું આયોજન કરાયું છે. ભારત-પાકિસ્તાન સરહદે બનાસકાંઠાના નડાબેટમાં ‘સીમાદર્શન’ અંતર્ગત ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર ટુરિઝમનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. ૧૫ ઓગસ્ટ પહેલા તેનું લોકાર્પણ થશે.
દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણી નડાબેટ પહોંચ્યા હતા. અને રૂ.૧૨૫ કરોડના જુદા જુદા કામો નિહાળ્યા હતા. અજય પ્રહરી સ્મારક, પરેડગ્રાઇન્ડ, એક્ઝિબિશન સેન્ટર અને સરહદ સલામતીની વિશિષ્ટ પ્રતિકૃતિ સમાન ગેઇટનો સલામતીની વિશિષ્ટ પ્રતિકૃતિ સમાન ગેઇટના કામો હાલ ચાલી રહ્યા છે. પ્રવાસીઓના આગમન માટેનો આગામન પ્લાઝા, પાર્કિંગ ઓડિટોરિયમ રિટેઇનિંગ વોલ અને પીવાના પાણીની સુવિધા તેમજ ટોયલેટ બ્લોક્સના કામો પૂર્ણ થઇ ગયા છે.
આ પ્રવાસન સ્થળને સૌર ઊર્જાથી પ્રકાશિત કરવા ૧૪ સોલાર ટ્રી લગાવવાની કામગીરી પણ સીમાદર્શન-બોર્ડર ટુરિઝમ પ્રોજેક્ટમાં હાથ ધરવામાં આવી છે. ટી-જંક્શનથી ઝીરોપોઇન્ટ સુધીના માર્ગ પર પ્લેટફોર્મ બનાવીને સરફેસ ટુ સરફેસ મિલાઇલ, સરફેસ ટુ એર મિસાઇલ, ટી-૫૫ ટેન્ક, ડ્રોપ ટેન્ક અને મિગ-૨૭ એરક્રાફ્ટ ડિસપ્લે કરવામાં આવશે.