નવીદિલ્હીઃ ભારતમાં કોરના રોગચાળા સામની લડાઈ વણથંભી ચાલુ જ છે. દરમિયાન કોરોના સામેની લડાઈમાં ભારતમાં વધુ એક મજબૂત હથિયાર લોંચ થયું છે. વિશ્વની અગ્રણી દવા કંપની રોશે દ્વારા તૈયાર કરવામાં આવેલી દવા એન્ટિબોડી કોકટેલ ૨૪ મેથી દેશમાં ઉપલબ્ધ થવા લાગી છે.
નોધનીય છે કે રોશે એક સ્વીસ કંપની છે અને ભારતમાં આ દવા સિપ્લા ઇન્ડિયા મારફત ઉપલબ્ધ થઈ રહી છે. કોવિડ ૧૯ના મોટાભગાના દર્દી માટે મહત્તવપૂર્ણ દવાના એક ડોઝની કિંમત રૂ. ૫૯,૭૫૦ છે. હવે સવાલ એ ઊભો થાય છે કે, કોરોના, બેરોજગારી અને મોંઘવારી વચ્ચે સતત પીસાતો સામાન્ય માણસ આ દવા ખરીદી શકશે? શું કેન્દ્ર અને રાજ્ય સરકારો સબસીડી આપીને કોરોનાથી બચવામાં સામાન્ય માણસની મદદ કરશે? આ દવા આમ તો Casirivimab અને Imdevimabનામની બે દવાઓનું મિશ્રણ છે. આ બંને એન્ટિબોડી દવા છે જે વાયરસ પર અસર કરે છે. ખાસ કરીને જે દર્દીઓમાં હળવા અને મધ્યમ સ્તરનું સંક્રમણ જણાય તેમના પર આ દવા ઘણી જ અસરકારક છે.