વલસાડના દરિયા કિનારેથી ચાર મૃતદેહ મળી આવ્યા

Wednesday 26th May 2021 07:42 EDT
 

વલસાડ: તૌક-તે વાવાઝોડામાં મુંબઇના દરિયામાં શારકામ કરી રહેલા પી ૩૦૫ નામનું ઓએનજીસી કંપનીનું બાર્જ ડૂબી જતાં ૨૨ કર્મચારીના મોત અને ૫૧ લાપતા થઇ ગયા હતા. જેની છેલ્લા ૪ દિવસથી શોધખોળ ચાલી રહી હતી તે દરમિયાન વલસાડના તિથલ દરિયા કાંઠે સ્વામિનારાયણ મંદિર સામેના કિનારેથી ૩ અને ડુંગરી નજીર નાનીભાગલ કાંઠેથી ૧ મળી ૪ મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં એસપી સહિત પોલીસ કાફલો દરિયા કિનારે પહોંચી ગયો હતો.


comments powered by Disqus