રાજકોટ: શહેરના જાણીતી શિવશક્તિ ડેરી ફાર્મમાં અનુસૂચિત જાતિની ત્રણ મહિલા અને એક યુવાને ફીનાઇલ પી સામુહિક આપઘાતનો પ્રયાસ કરતાં અફરાતફરી મચી હતી.
શિવશક્તિ ડેરીમાં ગૌતમ પાર્કમાં રહેતા શોભનાબેન ચાવડા, ગૌરીબેન ચાવડા, મંજુબેન વાઘેલા અને કેતન સાગઠિયાએ ફીનાઇલ પી સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા નાસભાગ મચી ગઇ હતી. આ ઘટના પહેલા ચારેય પોલીસ કમીશનર નામે એક પત્ર લખ્યો હતો. અને જણાવ્યું હતું. કે ગૌતમ પાર્કમાં ૩૦ વર્ષથી રહીએ છીએ. અને જમીન એક હજારમાં ભાવે લઇ કાચા પાકા મકાન બનાવ્યા હતા. હાલમાં આ જમીનની કિંમત એક લાખ વારના ભાવે બોલાય છે. આવી તેજી આવતા રાજકીય ઓથ ધરાવતા ડેરી સંચાલક દ્વારા જમીન પડાવી લેવા માટેની અમોની જાણ બહાર સાચા-ખોટા કાગળો બનાવી રહેવાસીઓ કાઢી મૂકવાનું ષડયંત્ર ગોઠવાયું હોઈ કસૂરવારો સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.