ગાંધીનગરઃ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાંથી મિટિંગમાં હાજરી આપવા ફોન આવતા પૂર્વ આરોગ્ય પ્રધાન જયનારાયણ વ્યાસે ટ્વિટર ઉપર ‘ભાજપ ચોક્કસ બદલાઈ ગયું છે’ એવી વ્યથા ઠાલવી હતી. જયનારાયણ વ્યાસ બાયપાસ સર્જરી બાદ સારવાર હેઠળ હતા. તેમના આ ટ્વિટથી સોશિયલ મીડિયામાં ભાજપમાં બદલાયેલા સ્વરૂપને લઈને ટિકા-ટિપ્પણીઓ શરૂ થઈ છે.