જામનગર: જિલ્લાના નારણપુરમાં સાધુ શૈતાન બન્યાનો કિસ્સો સામે આવ્યો હતો. ખેતરમાં આશરો આપનાર પરિવારની કુંવારી યુવતીને તાંત્રિક વિધિના નામે ડરાવીને અપહરણ કરીને સાધુએ દુષ્કર્મ આચર્યું હતું.
નારણપુર ગામે રહેતાં ખેડૂત પરિવાર પાસે એક સાધુ આવ્યો હતો. આ સાધુએ તેની વિધિ માટે ખેતરમાં રહેવા દેવાની માગણી કરી હતી. શ્રદ્ધાળુ ખેડૂત પરિવારે તેને ખેતરમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. તેને જમવાનું આપવા માટે ખેડૂત પરિવારની કુંવારી યુવાન પુત્રી જતી હતી. આ પરિવારને તમારા પર પિતૃદોષ છે તેવી વાત કરીને ભરમાવ્યાં હતાં. બાદમાં સાધુએ પરિવારની પુત્રીને સંમોહિત કરીને તારા મા-બાપ સહિત પરિવાર મારા કહ્યામાં છે તેમ કહીને પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું.