અમદાવાદઃ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ)ના સંકુલમાં અનોખા ઝેન ગાર્ડન અને કૈઝન એકેડેમીનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને જાપાન વચ્ચેના સંબંધોની સાહજિક્તા અને આધુનિક્તાનું પ્રતીક છે. જાપાનીઝ ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડેમીની આ સ્થાપના ભારત અને જાપાન વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરશે.