પુરાણ પ્રસિદ્ધ કોટેશ્વર મહાદેવ નજીક પણ છે અન્ય એક પ્રાચીન શિવ મંદિર

Wednesday 30th June 2021 07:10 EDT
 
 

ભૂજઃ પ્રસિધ્ધ યાત્રાધામ કોટેશ્વર મહાદેવ મંદિર નજીક અન્ય એક પ્રાચીન શિવ મંદિર આવેલું છે પરંતુ તેના વિકાસના અભાવે અને ભાવિકોની અજાણતામાં આ મંદિર બારેમાસ બંધ રહે છે. જગદાદા, જગદાદી મંદિર પાસે પણ ઘણા શિવલિંગો આવેલા છે પરંતુ અરબસાગરની ભરતી આવતાં ત્યાં પહોંચવું મુશ્કેલ છે.
અહીં પ્રાચીન મંદિર, શિવલિંગો છે પરંતુ પ્રચાર-પ્રસારના અભાવે આ જગ્યાથી લોકો અજાણ છે. નારાયણ સરોવરના અમુક શિવભક્તો સાફ સફાઇ કરી આવે છે. અહીં દરિયા કિનારો હોઇ આ સ્થાનકનો પ્રવાસન ધામ તરીકે વિકાસ કરવામાં આવે અને આ પ્રાચીન સ્થળે આવવા-જવા માટે રસ્તો બનાવવામાં આવે તેવી માંગ શિવભક્તો દ્વારા ઉઠી રહી છે. આ સ્થાનકનો વિકાસ કરાય તો પ્રવાસનને વેગ મળે તેમ છે.


comments powered by Disqus