વડોદરાઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામ નજીક આવેલી ક્રોસરોડ્સ હોસ્પિટલના પરિસરમાં ૭૦ લાખ રૂપિયાના ખર્ચે સ્થાપિત કરવામાં આવેલા વાતાવરણમાંથી હવા શોષીને પ્રાણવાયુ ઉત્પન્ન કરતાં પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. કોરોના કટોકટીમાં ઓક્સિજનના અવિરત પુરવઠાની ખાત્રી આપતો આ પ્લાન્ટ કિરી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સૌજન્યથી સ્થાપિત કરવામાં આવ્યો છે.
કોરોનાની લહેર ધીમી પડી છે, પરંતુ, શાંત નથી થઇ, લોકો માસ્ક પહેરવા-સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનો અનુરોધ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પહેલા ફેઝમાં કોરોનાની સારવાર માટે ૪૦ હજાર બેડની વ્યવસ્થા કરી હતી.