જૂનાગઢ: વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન નવા સ્થાપક અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલના ગાદીપતિ વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય વ્રજરાજજી દ્વારા સમગ્ર ગુજરાતમાં રૂ.૭ કરોડના ખર્ચે ૨૯ ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરાશે. તેમાં આજે ૯ પ્લાન્ટનું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડાએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું.
ગુજરાતના ડેસર(વડોદરા) બાદરણ, વલ્લભ વિદ્યાનગર(આણંદ), જરોદ, સુરત, નવસારી, જામનગર, ભાવનગર અને જૂનાગઢમાં દર કલાકે ૧૦ હજાર લીટર ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતાના ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરવામાં આવેલી હતી.
આ અભિયાન અંતર્ગત ૯ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ૯ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ વ્રજરાજ કુમારજીની અધ્યક્ષતામાં યોજાયેલા વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કર્યું હતું. તેમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ
જોડાયા હતા.