પાલનપુર: ઉત્તર ગુજરાતમાં ૨૭ મેની રાતે ભારે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. મહેસાણા જિલ્લામાં ૧૫મીમી, ઊઝામાં ૧૫મીમી અને વિસનગરમાં ૩ મીમી વરસાદ પડ્યો હતો જ્યારે તેની સાથે ફુંકાયેલા વાવાઝોડાંથી ૧૦ થી વધુ ગામોમાં મકાનોનાં પતરાં ઊડી ગયા હતાં. પાટણ જિલ્લાના સિદ્વપુરમાં ૨ કલાકમાં અઢીં ઇંચ વરસાદ પડ્યો હતો. વાવાઝોડાંમાં ૨૮ વૃક્ષો અને ૩૦ વીજ થાંભલા પડી ગયા હતા. ઉપરાંત એક દિવાલ ધરાશાઇ થતાં બે લોકો ફસાયા હતા. જેને સલામત બહાર કઢાયા હતા. ચાણસ્મામાંની શાળાના પતરાં ઉડી ગયાં હતા. હિંમતનગર પંથકમાં વાવાઝોડું ફૂંકાતા શેડની દીવાલ ધરાશાયી થઇ ગઇ હતી, જેમાં કિશોરીનું મોત થયું હતું. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં.