કરમાં છૂટ આપવા ગઠિત GoMમાં નીતિન પટેલની પસંદગી

Wednesday 02nd June 2021 06:55 EDT
 

નવીદિલ્હી: જીએસટી કાઉન્સિલની મળેલી બેઠકમાં કોરોનાને લગતી આવશ્યક ચીજવસ્તુઓ પર GSTમાં માફી આપવી કે GSTનાં દર ઘટાડવાનું નક્કી કરવા પ્રધાનોનું ગ્રુપ રચવા નિર્ણય લેવાયો હતો. પ્રધાનોની આ પેનલમાં ગુજરાતનાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનો સમાવેશ કરાયો છે.
ગ્રુપ દ્વારા કોરોનાને લગતી તમામ આવશ્યક સામગ્રી જેવી કે વેક્સિન, મેડિકલ ઉપકરણો તેમજ સાધનોને GSTમાં માફી આપવી કે કેમ અથવા તો GSTનાં દર ઘટાડવા કે કેમ તેનો નિર્ણય GoM દ્વારા લેવામાં આવશે.


comments powered by Disqus