ગુજરાતને વાવાઝોડાની હોનારત માટે કેન્દ્ર સરકારે રૂ. ૧ હજાર કરોડ આપ્યા

Wednesday 02nd June 2021 06:57 EDT
 

ગાંધીનગર: ગુજરાત સરકારને તૌકતે વાવાઝાડાથી થેયલી ખાનાખરાબી સામે ભારત સરકારે તાત્કાલિક રાહત સહાય તરીકે હજાર કરોડ રૂપિયા આપી દીધા છે. તૌકતે વાવાઝોડું રાજ્યને ચીરતું પસાર થયું એ પછી બીજા દિવસે અસરગ્રસ્ત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટ વડા પ્રધાન મોદી આવ્યા હતા ત્યારે એમણે તાત્કાલિક રાહત સહાય આપવાની જાહેરાત કરી હતી. જેના અનુસંધાને કેન્દ્રીય ગૃહમંત્રાલયની ભલામણથી રિઝર્વ બેન્કે રાજ્ય સરાકરના એકાઉન્ટમાં રૂ. ૧૦૦૦ કરોડ ટ્રાન્સફર કર્યા છે. જેનો હિસાબ બાદમાં કેન્દ્ર સરકારને આપવાનો રહેશે.
અગાઉ અમરેલી તથા બનાસકાંઠામાં જળપ્રલયથી મોટી ખુવારી સર્જાઈ હતી. પરંતુ ત્યારે કોઈ કેન્દ્રીય મદદ મળી ન હતી. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ હેઠળ ઊભું કરાયેલ છે તથા જ્યારે આપત્તિનું સ્વરૂપ મોટું અને ગંભીર હોય ત્યારે રાજ્ય હેઠળના એસડીઆરએફના ટેકા માટે એનડીઆરએફમાંથી ભંડોળ ફાળવવામાં આવે છે.


comments powered by Disqus