ઊના: ઊના પંથકમાં વીજ પુરવઠા વગર લોકો ખીચડી ખાઇને દિવસો કાઢવા પડે છે. અમુક સ્થળે જનરેટર દ્વારા વીજ મેળવી અનાજની ચક્કી શરૂ થઇ છે. પણ ત્યાં ઝટ વારો નથી આવતો. આથી ગ્રામ્ય વિસ્તારના લોકોએ લોટ દળવાની નાનકડી ઘરઘંટીને છકડો રીક્ષામાં ફીટ કરીને અનાજ દળવાનું શરૂ કર્યું છે.